Pashu Khandan Sahay Yojana: પશુપાલકોને 250 કિલો મફત પશુ ખાણદાણ 100% લેખે સહાય મળશે.

આઈ ખેડૂત પશુપાલન યોજના | ગુજરાત ખેડૂતલક્ષી યોજના | Pashu Khandan Sahay Yojana 2023 | ikhedut Portal Pashupalan Yojana | ikhedut Portal 2022-23 | @ikhedut.gujarat.gov.in | પશુપાલન લોન યોજના 2023 | Pasupalan Yojana Gujarat 2023 Online Apply | PashuPalan Loan Yojana 2023 | પશુપાલન યોજના ફોર્મ 2023 | પશુપાલન લોન યોજના 2023 ગુજરાત

ભારત દેશ કૃષિપ્રધાન દેશ હોવાથી ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે તેમાંથી આજે આપણે Pashu Khandan Sahay Yojana 2023 (પશુ ખાણદાણ સહાય યોજના 2022) વિશે વાત કરીશું.

ગુજરાતમાં દિન-પ્રતિદિન પશુપાલનનો વ્યાપ વધે તે ખૂબ જરૂરી છે. જેના માટે સરકારશ્રી દ્વારા પશુપાલકો માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે. પશુપાલકો પોતાની ગાયો અને ભેંસોને પૌષિટક આહાર આપતા હોય છે. આ આહાર પોતાના વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીમાં પશુદાણ મેળવી શકે છે. ગાભણ પશુઓને ખાણદાણ મળી રહે તે માટે Pashu Khandan Sahay Yojana 2023 બહાર પાડેલી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ. આ યોજના હેઠળ પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાયઆપવામાં આવશે.

Pashu Khandan Sahay Yojana

યોજનાનું નામખાણદાણ સહાય યોજના
યોજનાનો ઉદ્દેશરાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બને,
લાભાર્થીગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા પશુપાલકો
સહાયમફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે.
અરજી કરવાની રીતઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાની છેલ્લી તારીખતા 01/05/2022 થી 15/06/2023 સુધી

Pashu Khandan Sahay Yojana નો હેતુ

ગુજરાત રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બને, તેગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે. પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા ખાણદાણ સહાય આપવાનું નક્કી કરેલ છે. ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર 100 % સહાય આપવામાં આવશે. એટલે કે, ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે.

પશુઓને ખાણદાણ સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

ગુજરાત રાજ્યના પશુપાલકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. જે પશુપાલકો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તેમને ikhedut portal ની આ Pashu Khandan Sahay Yojana નો લાભ મળશે.આ યોજના હેઠળ જ્ઞાતિ મુજબ સ્કીમ અલગ-અલગ છે. જ્ઞાતિઓ વાઈઝ લાગુ પડતી સ્કીમમાં મળવાપાત્ર વિગતો નીચે મુજબ છે.

  • પશુપાલક દીઠ 250 કિલોગ્રામ પશુ ખાણ દાણ 100 % લેખે સહાય આપવામાં આવે છે.
  • વાર્ષિક પ્રતિ પશુ દીઠ, પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ 1 (એક) જ વખત સહાય મળવા પાત્ર રહેશે.
DMS-1(અ. જ. જા.) એસ.ટી જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાયઅનુસુચિત જનજાતિના લાભાર્થી દીઠ કુલ 250 કિગ્રા ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવશે.
DMS-1(અ.જા.) એસસી. જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાયઅનુસુચિત જાતિના લાભાર્થી દીઠ કુલ 250 કિગ્રા ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવશે.
DMS-1(સામાન્ય) સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાયસામાન્ય જાતિના લાભાર્થી દીઠ કુલ 250 કિગ્રા ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવશે.

પશુ ખાણદાણ સહાય યોજનાની પાત્રતા

પશુપાલન વિભાગ દ્વારા Gabhan Pashu Khandan Sahay Yojanaમાટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  1. લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
  2. લાભાર્થી પશુપાલક હોવો જોઈએ.
  3. પશુપાલક પાસે પોતાની ગાય-ભેંસ તથા અન્ય પ્રાણીઓ હોવા જોઈએ.
  4. પશુપાલકોના ગાય-ભેંસ ગાભણ હોવા જોઈએ.
  5. લાભાર્થી દૂધ મંડળીમાં સભાસદ હોવો જોઈએ.
  6. પશુપાલક લાભાર્થી આર્થિક રીતે નબળા, SC/ST, OBC અને સામાન્ય જાતિના લોકોને લાભ મળશે.
  7. I-khedut Portal હેઠળ આ યોજનાનો લાભ લેવા માટે, અગાઉ ક્યારે લાભ લીધો હતો તેની વિગતો દર્શાવવાની રહેશે.
  8. I-Khedut પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  9. વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે.
  10. રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે.

ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?

  1. આધારકાર્ડની નકલ
  2. જો ખેડૂત લાભાર્થી એસ.સી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  3. જો ખેડૂત લાભાર્થી એસ.ટી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  4. રેશનકાર્ડની નકલ
  5. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  6. આધાર નંબર સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ
  7. કેટલા પશુઓ ધરાવો છો, તેનો દાખલો
  8. છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે?તેની વિગતો
  9. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો
  10. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  11. મોબાઈલ નંબર


કેવી રીતે અરજી કરવી?

પશુપાલનની Pashu Khandan Sahay Yojana નો પશુપાલકોને લાભ આપવામાં આવે છે. પશુપાલકો i-khedut Portal પરથી Online Application કરવાની રહેશે છે. પશુપાલકો આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા ગ્રામ પંચાયત ખાતેથી VCE (Village Computer Entrepreneur) પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે. પશુ ખાણદાણ સહાય યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કેવી કરવી તેની Step By Step માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google Search માં “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રિઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
Pashu Khandan Sahay Yojana
  • Ikhedut Portal ખોલ્યા બાદ ”યોજના” પર ક્લિક કરવું.
  • તેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ નંબર-2 પર પશુપાલનની યોજનાઓ” ખોલવું.
  • “Pashupalan Yojana” ખોલ્યા પછી જ્યાં વિવિધ પશુપાલનની યોજનાઓ બતાવશે.
  • જેમાં “જ્ઞાતિવાઈઝ ” પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય” યોજનાઓ બતાવશે.
  • “જેમાં તમે જે જ્ઞાતિમાં આવતા હોય તે જ્ઞાતિની યોજનાની સામે “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
Pashu Khandan Sahay Yojana
  • જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ ikhedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતે ઓનલાઈન એપ્લિકેશનમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.

ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું ?

  • લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
  • પશુપાલકોઓએ પોતાની પ્રિન્‍ટ મેળવ્યા બાદ સંબંધિત અધિકારીઓના સહી-સિક્કા કરાવવાના રહેશે.
  • છેલ્લે, ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
  • આમ, સફળતાપૂર્વક ઓનલાઈન થયેલી ગણાશે.

નોંધ:- લાભાર્થી દ્વારા સહી/અંગુઠાનું નિશાન કરેલ અરજી સાથે સાચા અને પુરતાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો જ અરજી સંબધિત અધિકારી /ઓફીસ દ્વારા ઓનલાઈન ઇનવર્ડ લેવામાં આવશે. પરંતુ લાભાર્થી દ્વારા ઓનલાઈન ખોટા / અપૂરતાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો આવી અરજી ઓનલાઈન ઇનવર્ડ થશે નહી. આવા સંજોગોમાં બાકીના / સાચા ડોક્યુમેન્ટ અરજી કર્યાનાં સાત દિવસમાં સંબધિત ઓફિસમાં લાભાર્થીએ રજૂ કરવાનાં રહેશે.

અરજીની સ્થિતિ કેવી રીતે જોવી?

ikhedut Portal પર પશુપાલકો વિવિધ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે. Online Arji કર્યા બાદ Status જાણવું હોય તો તેના માટે કચેરી રૂબરૂ જવાની જરૂર નથી. રાજ્યના લાભાર્થીઓ પોતાના મોબાઈલ દ્વારા Application Status જાણી શકે છે.

અરજી કર્યા બાદ પ્રિન્ટ મેળવો.

પશુપાલક દ્વારા કરેલ khedut portal પર ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ જાતે પ્રિન્‍ટ કાઢી શકે છે.પશુપાલકોઓએ કાઢીને નજીકના દૂધ-ઉત્પાદક મંડળીના તથા સંબંધિત અધિકારીશ્રી પાસે સહી-સિક્કા કરાવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *